॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

પંચાળા-૪: મનુષ્યભાવમાં દિવ્યભાવનું

પ્રસંગ

પ્રસંગ ૧

ઈ. સ. ૧૯૬૩ના મે માસમાં યોગીજી મહારાજ પંચાળા પધારેલા. તે સમયે પંચાળાના દરબારગઢમાં યોગીજી મહારાજે પંચાળાના વચનામૃતોની પારાયણ કરાવી હતી. આ પારાયણ દરમ્યાન યોગીજી મહારાજ ટપાલ લખતા હતા. તેમાં આ વચનામૃત પંચાળા ૪ આ પ્રમાણે વંચાયું, “... પછી મુનિબાવે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, ‘પ્રથમ તો ભગવાનનો નિશ્ચય હોય ને ભજન-સ્મરણ કરતો હોય અને પછી ભગવાનના મનુષ્યચરિત્ર દેખીને તે નિશ્ચયમાં સંશય થઈ જાય છે તેનું શું કારણ છે?’ પછી એ પ્રશ્નનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામી કરવા લાગ્યા પણ થયો નહીં, ત્યારે શ્રીજીમહારાજ ઝાઝીવાર સુધી વિચારી રહ્યા ને પછી બોલ્યા જે...”

જ્યાં આ પ્રમાણે વચનામૃતનું વાંચન થયું કે તરત જ યોગીજી મહારાજ ટપાલ લખતા અટક્યા અને બોલ્યા, “અહીં મહારાજે મનુષ્યચરિત્ર કર્યું હતું તે ઉપર મુનિબાવે પ્રશ્ન પૂછ્યો હતો. તેથી મહારાજ થોડી વાર વિચાર કરીને બોલ્યા છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૭૯]

Prasang 1

In May of 1963, Yogiji Mahārāj came to Panchālā. In the darbār of Panchālā, Yogiji Mahārāj held a pārāyan on the Vachanāmrut. One day, during the pārāyan, Yogiji Mahārāj was responding to letters. Panchala-4 was being read: Muni Bāwā asked a question to Brahmānand Swāmi, “Initially, one may have the conviction of Bhagwān and may engage in worship and remembrance; but later, on seeing the human-like actions of Bhagwān, doubts arise in that conviction. What is the cause of this?”

Brahmānand Swāmi then began to answer that question but was unable to do so satisfactorily.

Then, having thought for some time, Shriji Mahārāj spoke…

After this much was read, Yogiji Mahārāj stopped writing letters and said, “Muni Bāwā asked this question because Mahārāj had performed human-like actions. Therefore, Mahārāj thought for a while before answering.”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/479]

નિરૂપણ

યોગીજી મહારાજ કહે, “વખાણે એમાં તો નિર્દોષભાવ રહે, પણ પત્તર ખેંચી લે, જમવા ન દે તો નિર્દોષભાવ સાચો. તે એકાંતિક થઈ જાય ને ફસ્ટ નંબરમાં આવી જાય... નિશાન ઉપર લક્ષ્ય રાખીએ તો દિવસે દિવસે ચડતો રંગ રહે. ભોજન ગમે તેવું સારું હોય પણ સાત દિવસ તાવ આવ્યો હોય તો ભાવે નહી. તેમ મનુષ્યભાવ રૂપ માંદગી આવી હોય તો સુખ ન આવે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૨૭૭]

January 1962, Mumbai. Yogiji Mahārāj says, “We perceive divinity in those who praise us. But if someone snatches one’s pattar and does not let one eat, [yet he does not perceive faults in that person] that is true nirdosh-bhāv. He becomes ekāntik and places first... If we keep our eye on the target, then day by day we will experience increasing joy. Food might be good but if one has been febrile for seven days, one will not enjoy it. Similarly, if an illness in the form of manushya-bhāv arises, then one will not experience happiness.”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/277]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase